શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આનંદ

હિન્દ ન્યુઝ નાં પત્રકાર ભાવેશ સોની તેમજ સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું.

આણંદના ઓડ નગરમાં તા-૨૧ મીના રોજ ઓડ ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન, ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ.

આ શિબિરમાં ૨૫૭ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૬૨ દૂર તેમજ નજીકના ચશ્મા તેમજ ૨૨ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા.

આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ અને મેડીકલ સ્ટાફ, ઓડ સમાજસેવી ભાવેશ સોની, ભરતભાઈ, દિલીપભાઈ, ભાવનાબેન, બાબુભાઈ, અશોકભાઈ, રમેશભાઈ રાણા, દિલીપભાઈ તેમજ સેવાભાવી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment